મનુષ્ય ના જીવન નો મુખ્ય ઉદેશ્ય પોતાની આત્મિક શક્તિ ઑ ના વિકાસ કરવાનો છે. જે પ્રાણી મનુષ્ય નો દેહ ધારણ કરવા છતાં પણ આત્મીક શક્તિઓનો વિકાસ કરી શકતું નથી, પોતાના આત્માની નજીક પહોચી શકતું નથી તે આ સંસાર માં શાંતિ પ્રાપ્ત કરી શકતું નથી અને પરલોક ને સુખમય બનાવી શકતું નથી. તેથીજ જો મનુષ્ય સાચી શાંતિ મેળવવા ઇચ્છ તો હોય, પોતાના જીવન ને સુખી બનાવવા ઇચ્છતો હોય, તો એણે અવશ્ય પોતાની આત્મિક શક્તિ ઓનો વિકાસ કરવો જોઈએ, કારણકે આત્મજ પૂર્ણ શાંતિ અને સુખ નો ભંડાર છે.

Tuesday, 15 May 2012 09:44

Ram katha- Day-4

દરેક મનુષ્ય આ સંસાર માં કોઇંક ખાસ ઉદેશ્ય થી આવે છે. તે એ વિશેષ ઉદેશ્યને પૂરો કરવા માટે પોતાના સ્વભાવ અનુસાર કર્મ કરવામાં સમર્થ હોય છે. એનાથી વિપરીત દિશામાં જવામાટે તે સ્વતંત્ર નથી. ઉદાહરણ તરીકે અર્જુનને જુઓ પૃથ્વીના ભાર નથી દૂર કરવાના વિશેષ ઉદેશ્ય થી તેનો જન્મ થયો હતો.તેથી એ કાર્ય કરવુજ પડ્યું. ઈશ્વર બધાજ પ્રાણી ઓના હ્રદય માં રહી ને એમને ફરતા રાખે છે.

<< Start < Prev 1 2 3 4 5 6 Next > End >>
Page 1 of 6